મોરબી : કોરોના મહામારી બાદ ધીમે ધીમે મોરબી-વાંકાનેર વચ્ચે ચાલતી ડેમુ ટ્રેનની ટ્રીપમાં વધારો કરવામાં આવી રહ્યો છે ત્યારે 29 એપ્રિલથી મોરબી વાંકાનેર વચ્ચે દરરોજ 2 ડેમુ સ્પેશિયલ અનરિઝર્વ્ડ ટ્રેનો ચાલશે.
અગાઉ બપોરની ટ્રેનની ટ્રીપમાં વધારો થયા બાદ અગામી 29 એપ્રિલથી વધુ એક ટ્રીપમાં વધારો કરવામાં આવ્યો છે જેમાં આગામી 29 એપ્રિલથી વાંકાનેર-મોરબી વચ્ચે દરરોજ 2 ડેમુ સ્પેશિયલ અનરિઝર્વ્ડ ટ્રેનો ચલાવાશે એટલે કે ટ્રેન નંબર 09440 મોરબી-વાંકાનેર ડેમુ ટ્રેન મોરબીથી દરરોજ રાત્રે 8:20 વાગ્યે ઉપડશે અને રાત્રે 9:05 વાગ્યે વાંકાનેર પહોંચશે. આ ટ્રેન નજરબાગ, રફાળેશ્વર અને મકનસર સ્ટેશન પર ઉભી રહેશે તો રાત્રે 10:10 વાગ્યે વાંકાનેરથી ટ્રેન ઉપડશે અને રાત્રે 10:55 વાગ્યે મોરબી સ્ટેશન પર પરત આવશે.