Saturday, May 3, 2025

મોરબીના સિરામિક ઉદ્યોગપતિઓની રાજયમંત્રી સાથે મુલાકાત : ગેસના ભાવ ઘટાડવા રજૂઆત

Advertisement
Advertisement
Advertisement

મોરબી : હાલ બિલ્ડીંગ મટીરીયલમાં લોખંડ, સિમેન્ટ, ઈંટો વગેરે મટીરીયલના ભાવમાં અતિશય વઘારો થતા બાંધકામ ક્ષેત્રમાં તેની માઠી અસર પડતા ડોમેસ્ટીક બજારમાં છેલ્લા ચાર પાંચ મહિનાથી સીરામીક ટાઈલ્સ અને સેનેટરીવેરની માંગ ૪૦ % જેવી ઘટી ગઈ છે તેમજ એક્સપોર્ટમા છેલ્લા ૧૦-૧૨ મહિનાથી શીપીંગલાઈનના ભાડા અતિશય વઘી જવાથી એક્સપોર્ટમાં પણ ઘટાડો થયો છે.

હાલ ચાલી રહેલા રશિયા અને યુક્રેનના યુધ્ધના કારણે છેલ્લા 6 મહિનામાં ગુજરાત ગેસમાં બમણાથી વધુ ભાવ વધારો થયેલ હોવાથી ટાઈલ્સ અને સેનેટરીવેરમાં ઉત્પાદન કોસ્ટ ખુબ જ વધવાથી ચીન સામે વૈશ્ર્વિક લેવલે એક્સપોર્ટમાં પણ ટકી રહેવુ એક મોટી મુશ્કેલી છે માટે ઉદ્યોગો હાલની આવી સમસ્યામાં બજારમાં ટકી રહે તે માટે ગેસના ભાવ ઘટે તે ખુબ જ જરુરી છે જેથી મોરબીના સર્કીટ હાઉસ ખાતે સિરામિક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા સહિતના ઉદ્યોગકારોએ રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાને રૂબરૂ મળીને ગેસના ભાવ ઘટાડવા રજૂઆત કરી હતી.

Related Articles

Total Website visit

1,502,707

TRENDING NOW