માળીયા : માળીયા મીંયાણા તાલુકાના ભાવપરથી બગસરા ગામે આવવા માટેના રોડનું રીપેરીંગ તથા પેચવર્ક કરવા બગસરા ગ્રામ પંચાયતના સરપંચ ગૌરીબેન નાગજીભાઈ પીપળીયા દ્વારા માર્ગ મકાન વિભાગના અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
આ રજુઆતમાં જણાવાયું છે કે, માળીયા (મીં.) તાલુકાના ભાવપરથી બગસરા ગામે આવવાનો મુખ્ય રસ્તો તા. 19-07-2017 ના રોજ નવો બનેલ હતો પરંતુ હાલ આ રોડ એકદમ બીસ્માર હાલતમાં છે અને મસમોટા ખાડાઓ પડી ગયા છે કેમ કે આ રસ્તો બનાવ્યો ત્યારે હલકી કક્ષાનું મટીરીયલ વાપરવામાં આવ્યું છે. આ રોડનો ગેરંટી પીરીયડ તા. 19-07-2022 ના રોજ પુર્ણ થતો હોવા છતાં રોડની હાલત ખરાબ થઈ છે જેથી તાત્કાલિક ધોરણે રોડના રીપેરીંગ અને પેચવર્કની કામગીરી શરૂઆત કરવા માંગ કરી છે.

