Tuesday, March 10, 2026

જર્મનીની સંસ્થાઓ દ્વારા આયોજીત ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીમાં ડો. જયંતીભાઈ ભાડેશિયાની વર્ચ્યુઅલી ઉપસ્થિતિ

Advertisement
Advertisement
Advertisement

મોરબી : જર્મનીના ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયન ડાયસ્પોરા (FOID) ના સ્થાપક ડો. ઈ. ગૌતમ સાગરના નેતૃત્વ હેઠળ FOID, કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયા હેમ્બર્ગ અને જર્મનીથી મરાઠી મિત્ર મંડળ હેમ્બર્ગના સંયુક્ત ઉપક્રમે ગત તા. 1 મે 2022 ના રોજ ગુજરાત અને મહારાષ્ટ્ર સ્થાપના દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના સહઆયોજક મૂળ મોરબીના હાલ જર્મની રહેતા વૈભવ પંડયા હતા અને મોરબીથી અતિથિ તરીકે ડો. જયંતિભાઈ ભાડેશિયા જોડાયા હતા.

આ કાર્યક્રમમાં વિશ્વના અનેક દેશોમાંથી પસાર થતા માઈગ્રન્ટ્સ અને મરાઠીઓએ વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર ભાગ લઈને એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા. આ તકે ડો.ઇ. ગૌતમ સાગરે જણાવ્યું હતું કે, ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયન ડાયસ્પોરા (FOID) નો ઉદ્દેશ્ય ભારતીય ડાયસ્પોરામાં રસ ધરાવતા વિશ્વભરના પ્રતિભાશાળી લોકોને જોડવાનો છે.  આ પ્રસંગે તેમણે મહાત્મા ગાંધી અને છત્રપતિ શિવાજીને યાદ કર્યા હતા અને ભારતના નિર્માણમાં ગુજરાત અને મહારાષ્ટ્રના અમૂલ્ય યોગદાનને યાદ કર્યું હતું.

આ કાર્યક્રમ પ્રસંગે મુખ્ય મહેમાન ડો. જયંતિભાઈ ભાડેશિયાએ ગુજરાતની સ્થાપના પર વાત કરતાં ગુજરાતની સંસ્કૃતિ અને સભ્યતાનો ઉલ્લેખ કર્યો હતો. ગુજરાતના ગૌરવવંતા ઈતિહાસનું વર્ણન કરતાં વિવિધ મહાનુભાવોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે એ પણ જણાવ્યું કે, કેવી રીતે ગુજરાતના મહાત્મા ગાંધીજીએ અને સરદાર વલ્લ્ભભાઇ પટેલે સ્વતંત્ર ભારતની મજબૂત સ્થાપના કરી. તેમણે ધીરુભાઈ અંબાણીના યોગદાનને પણ ઉજાગર કર્યું. 

આ ઉપરાંત સહ-કન્વીનર વૈભવ પંડ્યાએ સમજાવ્યું હતું કે, આ પ્રકારના કાર્યક્રમો કેવી રીતે વિદેશી ભારતીય બાળકોને ભારતીય સંસ્કૃતિ સાથે જોડવાનું કામ કરે છે. આ પ્રસંગે બાળકો અને મોટાઓએ અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. આ તકે દુર્વા દવે ચૌહાણ, સમીર અંતાણી, પૂજા પાંધી ભારતથી જોડાયા હતા જ્યારે અમેરિકાથી મેહુલ છાયા, સેજલ માંકડ વૈદ્ય, ભારત સંગીત, મુકુર માંકડ અને ધવલ પરીખે ભાગ લીધો હતો તેમજ સહ-સંયોજક અમિત મૈરલ, મૈત્રી મૈરાલ, રશ્મિ ગાવંડે, ઓમકાર ભાગવત, અવની મંત્રી, અનુષ્કા નાઈક, અન્વેયા હાંડે, અદ્વિકા હાંડેએ જર્મનીથી ભાગ લીધો હતો.

Related Articles

Total Website visit

1,595,218

TRENDING NOW