મોરબીના કાયાજી પ્લોટમાં રહેતી પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર મોરબીના કાયાજી પ્લોટ નંબર 4 માં રહેતી 28 વર્ષીય પરિણીતા કૃપાબેન પાર્થભાઇ કકક્ડએ કોઈ અગમ્ય કારણોસર અનાજમાં નાખવાની દવા ખાઈ જતા તેમને મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ પરિણીતાએ આ પગલું કેમ ભર્યું તેની તપાસ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.