હળવદ : રોટરી ક્લબ ઓફ હળવદ અને રોટરી ક્લબ રાધનપુરના સંયુક્ત ઉપક્રમે ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ, અમદાવાદના સૌજન્યથી કાનની બહેરાશવાળા લોકો માટે રાધનપુર શિશુમંદિર ખાતે નિ:શુલ્ક શ્રવણયંત્ર વિતરણના કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાધનપુર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના 150 થી વધુ ભાઇઓ, બહેનોને શ્રવણયંત્રની સહાય વિનામૂલ્યે કરવામાં આવી હતી તો કેમ્પમાં આવનાર દરેકને ચકલીઘર ભેટ આપવામાં આવ્યા હતા.
