મોરબીની શ્યામ હોસ્પિટલના માલિક ડો. ચંદ્રેશભાઈ વડગાસીયાનો આજે જન્મદિવસ છે. તા. 18/04/1985 ના રોજ જન્મેલા અને ખંતીલો તેમજ મિલનસાર સ્વભાવ ધરાવતા ચંદ્રેશભાઈએ આજે પોતાના જીવનના 37 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરીને 38 મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. ડો. ચંદ્રેશભાઈ એમ.ડી. (મેડીસીન) ફિઝિશિયન તરીકે શ્યામ હોસ્પિટલમાં છેલ્લા 9 વર્ષથી ફરજ બજાવી રહ્યા છે.
ડો. ચંદ્રેશભાઈ સેવાભાવ ધરાવતા હોવાથી તેઓ અનેક સેવાકાર્યો પડદા પાછળ રહીને કરતા હોય છે. તેઓ અનેક ધાર્મિક અને સામાજીક સેવાકીય પ્રવૃત્તિ કરી સંસ્થાને મદદરૂપ બનતા હોય છે. ચંદ્રેશભાઈનો સ્વભાવ સરળ અને મિલનસાર છે. તેઓ ડોક્ટર હોવા છતાં તેમનું વ્યક્તિત્વ ડાઉન ટુ અર્થ છે. તેઓ હંમેશા દરેક નાના હોય કે મોટા વ્યક્તિઓને મદદ કરવા તત્પર હોય છે ત્યારે આજે ચંદ્રેશભાઈના જન્મદિવસ નિમિત્તે તેમના પરિવારજનો, મિત્રો તથા સ્નેહીજનો મો.નં. 9099985207 પર જન્મદિવસની શુભેચ્છાઓનો ધોધ વરસાવી રહ્યા છે.