Wednesday, May 7, 2025

બ્રાહ્મણી-2 ડેમમાં પીવાના પાણી માટે જથ્થો અનામત રાખવા જિલ્લા કલેકટરનું જાહેરનામુ

Advertisement
Advertisement
Advertisement

મોરબી : હાલના સંજોગો જોતા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પીવાના પાણીની સંભવિત અછતની પરિસ્થિતિને ધ્યાને લઇ મોરબી જિલ્લામાં આવેલ બ્રાહ્મણી-2 જળાશયમાં પાણી ચોરી થતી અટકાવવા માટે નિરોધાત્મક કે અટકાયતી પગલા લેવા માટે મોરબી જિલ્લા કલેકટર જે.બી. પટેલ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામાનો અમલ તા. 24 જુન સુધી રહેશે.

જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે જિલ્લાના બ્રાહ્મણી-2 મુખ્ય જળાશયોમાંથી પીવાના પાણીની બલ્ક પાઇપલાઇન/પીવાના પાણીની વિતરણ પાઇપલાઇનમાંથી કોઇ વ્યકિત કે સંસ્થાએ બિનઅધિકૃત રીતે ઇલેકટ્રીક મોટર/પમ્પ સેટ દ્વારા/ટેન્કર દ્વારા/બકનળીઓ દ્વારા/અન્ય કોઇ સાધનો દ્વારા પાણી ચોરી કરવી નહીં કે કરાવવી નહીં તેમજ કેનાલ/પાઇપલાઇન તોડી પાણી ચોરી કરવી નહીં કે કરાવવી નહીં.

જિલ્લાના બ્રાહ્મણી-2 મુખ્ય જળાશયના નિયત હદથી 500 મીટર ત્રિજયામાં નવા બોર કરવા નહીં કે કરાવવા દેવા નહીં તેમજ બિનઅધિકૃત રીતે નવા ડીપવેલ, સબમર્શીબલ પંપ મુકવા નહીં કે કોઇપણ રીતે જમીનમાંથી પાણી ખેચવુ નહીં અને જળાશયોમાંથી પસાર થતી પાણી માટેની પાઇપલાઇન તથા કેનાલો સાથે ચેંડા કરવા નહીં કે પાઇપલાઇન તોડવી નહીં.

જિલ્લાના બ્રાહ્મણી-2 મુખ્ય જળાશયના નિયત કરેલા વિસ્તારના ચાલુ બોર, કુવા, ડીપવેલ, સબમર્શીબલ પંપનું પાણી કોઇપણ વ્યકિત કે સંસ્થા જિલ્લા મેજિસ્ટ્રેટ, મોરબીની પરવાનગી લીધા વિના વેચાણ કરી શકાશે નહીં કે કરાવી શકાશે નહીં. જિલ્લાના બ્રાહ્મણી-2 ડેમ જળાશય જેમાં સરકાર દ્વારા પીવાના પાણીનો જથ્થો અનામત રાખેલ હોય તેવા જળાશયમાં સબમર્શીબલ પંપ/ડીઝલ પંપ/બકનળી/અન્ય કોઈ રીતે પાણી વાળી જળાશયમાંથી પાણી ખેતીમાં ઉપયોગ કરવો નહીં.

Related Articles

Total Website visit

1,502,787

TRENDING NOW