મોરબી : ઉનાળાના તડકામાં પક્ષીઓને પણ આશ્રય મળે તે હેતુથી મોરબી ખાતે આવેલ એમ પી શેઠ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે પર્યાવરણ પરિવાર દ્વારા ચકલીઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મોરબીની એમ. પી. શેઠ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે પર્યાવરણ પરિવાર દ્વારા ચકલીઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું. લોકોમાં પક્ષીપ્રેમ જાગે અને પક્ષીઓને પણ આશ્રય મળે તે માટે હાઈસ્કૂલમાં પક્ષીઓના માળા લગાવવામાં આવ્યા હતા. આ સમયે એમ. પી. શેઠ. ગર્લ્સ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ ઉષાબેન એમ. જાદવ, ગીતાબેન ગાવિત, વર્ષાબેન સુખાનંદી, શાળાના શિક્ષકગણ તેમજ પર્યાવરણ પરિવારના સભ્યો પરમાર ધર્મિષ્ઠા, પરમાર રૂપેશ (કવિ જલરૂપ), નકુમ મનોજ, નકુમ હર્ષદ, નકુમ હાર્દિક સહિતના ઉપસ્થિત રહ્યા હતા.






