મોરબી રાજકોટ હાઈવે ઉપર છતર જીઆઈડીસી નજીક સાંજના સુમારે હ્યુન્ડાઇ કાર પલટી જતા રાજકોટના કારીયા પરીવારના પાંચ સભ્યો ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ મોરબી હાઈવે ઉપર છતર જીઆઈડીસી નજીક સાંજના સાડા પાંચેક વાગ્યાના અરસામાં રાજકોટ તરફ જતી હ્યુન્ડાઈ કાર પલટી જતા કારમાં સવાર રાજકોટના મિત દિપકભાઇ કારીયા, દિપકભાઇ કારીયા, હિનાબેન કારીયા, ચાંદનીબેન કારીયા અને દિશાબેન કારીયાને ઈજાઓ પહોંચી હતી.
વધુમાં કારીયા પરિવાર મોરબી ખાતે ધાર્મિક પ્રસંગમાં હાજરી આપી પરત ફરતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો જે ઘટનાની જાણ થતાં ટંકારા 108 ની ટીમના પાઈલોટ રણજીત આહિર, ઈએમટી ઈકબાલભાઈ સહિતનો કાફલો બે એમ્બ્યુલન્સ સાથે પહોંચી ગયો હતો અને ઈજાગ્રસ્તોને સારવાર માટે રાજકોટ ખસેડયા હતા.
