મોરબી : ગુજરાત રાજ્યની સ્થાપના તા. 1લી મે 1960 ના રોજ રવિશંકર મહારાજના હસ્તે થઈ હતી. ગુજરાતની આજ એક આગવી અસ્મિતા છે અને ગુજરાતની પ્રજાની એક આગવી ખુમારી છે એટલે ગુજરાતમાં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે મોરબીમાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ ઉજવણી અંતર્ગત મોરબીના વોર્ડ નંબર 11 માં ટિફિન બેઠક યોજાઈ હતી જેમાં મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, કોષાધ્યક્ષ ધર્મેન્દ્રભાઈ કણજારીયા, કે.કે. પરમાર, નીરજભાઈ ભટ્ટ, ચંપકસિંહ રાણા તથા વોર્ડ નંબર 11 ના કાઉન્સિલરો સહિતના કાર્યકર્તા મિત્રો મોરબી શહેર મહામંત્રી ભાવેશભાઈ કંઝારીયાના લક્ષ્મણ ફાર્મ પર ટિફિન બેઠકમાં હાજર રહ્યા હતા. આ ટિફિન બેઠકના ઈન્ચાર્જ, મોરબી શહેર ઉપાધ્યક્ષ વનરાજસિંહ જાડેજા તથા મોરબી શહેર મંત્રી દીપકભાઈ સોમૈયા પણ ઉપસ્થિત રહ્યા હતા.
