મોરબી : ભગવાન પરશુરામ દાદાના જન્મોત્વ નિમિતે મોરબીના પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં મોરબીના ભુદેવો બહોળી સંખ્યામાં જોડાયા હતા. આ શોભાયાત્રાનું મોરબીના ગાયત્રી મંદિર વાઘપરાથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને શહેરના મુખ્ય માર્ગ પર થઈને નવલખી રોડ પર આવેલ પરશુરામધામ ખાતે પૂર્ણ થઈ હતી.
પરશુરામ ધામ ખાતે મહાઆરતી તેમજ અન્નકોટ દર્શન કરી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ પરશુરામ ધામ ખાતે સમસ્ત બ્રહ્મસમાજ મોરબી જીલ્લા મહામંત્રી તરીકે નીરજભાઈ ભટ્ટની વરણી કરવામાં આવી હતી તેમજ પરશુરામ યુવા ગ્રુપના નવા હોદ્દેદારની વરણી કરવામાં આવી હતી જેમાં પરશુરામ યુવા ગ્રુપના નવા પ્રમુખ તરીકે રોહિતભાઈ પંડ્યા, મહામંત્રી તરીકે કમલભાઈ દવે અને ધ્વનિતભાઈ દવેની વરણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ડો. જયંતીભાઈ ભાડેશિયા, ડો. યોગેશભાઈ પટેલ, નગરપાલિકાના પ્રમુખ કે કે પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, ભાજપના જિલ્લા પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, કોંગ્રેસ અગ્રણી મનોજભાઈ પનારા અને તેની ટીમ તથા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ, શિવસેના, રાજપૂત કરણી સેના તેમજ અન્ય બિનરાજકિય સંગઠનો સાથે બ્રહ્મસમાજ આગેવાન અને પરશુરામ ધામના પ્રમુખ ભુપતભાઈ પંડ્યા, ડો. અનિલભાઈ મહેતા, નલિનભાઈ ભટ્ટ, બી. કે. લેહરુ, જગદીશભાઈ ઓઝા, કિરણબેન ઠાકર, નિલાબેન પંડિત, દર્શનાબેન ભટ્ટ, પારુલબેન ત્રિવેદી, કિશોરભાઈ શુક્લ, નરેન્દ્રભાઈ મેહતા અને બ્રહ્મસમાજની તમામ પાંખના હોદ્દેદારો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન અલગ અલગ સ્થળે બ્રહ્મબંધુઓ માટે તમામ જ્ઞાતિ સંગઠન દ્વારા ઠંડા પીણાં તેમજ લચ્છીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ આ કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન બ્રહ્મસમાજ જીલ્લા મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.

