Wednesday, June 17, 2026

મોરબીમાં સુરીલી સંગીત સંધ્યા યોજાઈ…

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં સુરીલી સંગીત સંધ્યા યોજાઈ…
મોરબીના જાણીતા મોસ્ટ સિનિયર સ્ટેજ શો ઓર્ગેનાઇઝર મનોજભાઈ રાજાના 75 વર્ષના અમૃત મહોત્સવ નિમિત્તે સંગીત સંધ્યાની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં વિશ્વ પ્રસિદ્ધ ગાયક વોઇસ ઓફ મુકેશ મુખ્તાર શાહ અને ગુજરાતના નામાંકિત કલાકારો ચિરાગ દેસાઈ, દીપકકુમાર, દિપાલી શાસ્ત્રી, બિનલ ચૌહાણે તેમની ગાયકીથી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા. મિતેશ દેસાઈએ તેમનું અદભુત ઓર્કેસ્ટ્રા રજૂ કર્યું. આ આ પ્રસંગે મનોજભાઈ ના મિત્ર તથા નવસારી અધિક કલેકટર કેતનભાઇ જોશી એ ખાસ હાજરી આપી તથા મોરબીના પ્રતિષ્ઠિત લોકો નૂપુરભાઈ શાહ, શૈલેષભાઈ કલોલા, ગણેશભાઈ પટેલ, ચૌહાણ સાહેબ, જ્યંતિભાઈ પટેલ ,લાલજીભાઈ મહેતા, પરિમલભાઈ ઠક્કર, ભાવેશભાઈ કંઝારિયા વગેરે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ મેગા મ્યુઝિકલ પ્રોગ્રામની મોરબીમાં ચોમેર પ્રશંસા થઈ રહી છે.

Related Articles

Total Website visit

1,608,528

TRENDING NOW