માળિયાના વેજલપર ગામે મહિલાએ ઝેરી દવા પી જીંદગી ટુંકાવી
માળિયા (મી): માળીયા (મી) તાલુકાના વેજલપર ગામે બાબુલાલ જાદવજી સંઘાણીની વાડીએ ઝેરી દવા પી લેતાં મહિલાનું મોત નિપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ રંગીતા રાજુભાઈ ઉર્ફે રાકેશભાઈ કેમાભાઈ ભીલ ઉ.વ.૧૯ ધંધો ખેત-મજુરી રહે- વેજલપર તા-માળીયા જી.મોરબી વાળી વેજલપર ગામે બાબુલાલ જાદવજી સંઘાણીની વાડીએ કોઈ કારણોસર ઝેરી દવા પી જતા મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમા લઈ જતા સારવાર દરમ્યાન પરણીતાનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે માળિયા (મી) પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે





