વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગ દળ તથા માતૃશક્તિ,દુર્ગાવાહિની તથા સામાજિક સમરસતા ના તમામ આયામો દ્વારા સ્વતંત્રતા દિવસ નિમિત્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું.






ગઈકાલે 15 મી ઓગસ્ટ એટલે સ્વતંત્રતા દિવસના અવસર પર મોરબી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તથા માતૃશક્તિ,દુર્ગાવાહિની તથા સામાજિક સમરસતાના તમામ આયામો દ્વારા રાષ્ટ્રધ્વજ વંદનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રાજકોટ વિભાગના સહકાર્યવાહ તથા શિવાય ઇન્ટરનેશનલ ન્યુ બસ સ્ટેશન શોપિંગ પરિવાર પણ હાજર રહ્યા હતા ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જિલ્લા અને મોરબી પ્રખંડ દ્વારા નવા બસ સ્ટેશનની પાસે સરદાર પટેલની પ્રતિમા પાસે સવારે 9:45 કલાકે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું.ત્યારે આ ભારત દેશના સશક્ત લશ્કર દળના નિવૃત્ત અધિકારી દિનેશભાઈ બારૈયા ની હાજરીમાં આ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો.





