ફાટસર ગામે અગમ્ય કારણોસર દાઝી જતા વૃદ્ધા નું મોત.
મોરબી તાલુકાના ફાટસર ગામે અગમ્ય કારણોસર દાઝી જતા વૃદ્ધા નું મોત નીપજ્યું હતું ત્યારે આ અન્વયે અકસ્માતે મૃત્યુનોંધ કરી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ફાટસર ગામે રહેતા ડાહીબેન કેશવજીભાઈ રાઠોડ ઉ.89 નામના વૃદ્ધા પોતાના ઘેર દાઝી જતા સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવતા રસ્તામાં મૃત્યુ પામતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.





