“મારા મજૂર કેમ તોડે છે” તેમ કહી યુવાન પર બે શખ્સોનો હુમલો.
વાંકાનેરના હસનપર નજીક બે શખ્સોએ મારા મજૂરને કેમ તોડે છે કહી યુવાન ઉપર હુમલો કરી ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
ત્યારે આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના હસનપર ગામે રહેતા રાજેશ કલ્યાણજીભાઈ માણેવાડિયા નામના યુવાનને શક્તિપરા નજીક આરોપી યુનુસ હાલા અને મકસુદ નામના શખ્સોએ રોકી મારા મજૂર કેમ તોડે છે કહી લોખંડના પાઇપ વડે માર મારી ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો છે.





