ટંકારા માંથી એક શખ્શ સગીરાને ભગાડી ગયો,ફરિયાદ નોંધાઇ.
ટંકારા ના અયોધ્યાપૂરી વિસ્તારમાંથી એક ઈસમ સગીરાને ભગાડી લઈ ગયો હોઈ ત્યારે આ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા શહેરના અયોધ્યાપુરી વિસ્તારમાં રહેતો જયેશ વીરજી પંચાલ નામનો શખ્સ ટંકારા વિસ્તારમાં રહેતી સગીરાને લલચાવી, ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે વાલીપણામાંથી અપહરણ કરી લઇ જતા ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.





