શ્રી વડવાળા મંદિર દુધરેજધામ ખાતે યોજાનાર પ્રાગટ્ય દિવસ મહોત્સવ નિમિતે મોરબી (મચ્છુ કાંઠા) ના 150 સ્વયંસેવકો સેવામાં જોડાશે.
અખિલ ભારતીય રબારી સમાજની ગુરુગાદિ શ્રી વડવાળા મંદિર દુધરેજ ખાતુ આગામી 6-3-2023 ના રોજ પ્રાગટ્ય દિવસ મહોત્સવ નિમિત્તે ઉજવણી થવાની હોય ત્યારે મોરબીના 150 જેટલા યુવાનો દુધરેજ ખાતે સેવા કાર્યમાં જોડાશે.

અખિલ ભારતીય રબારી સમાજ ગુરૂ ગાદી શ્રી વડવાળા મંદિર દુધરેજ ગામ ખાતે પ્રાગટ્ય દિવસ મહોત્સવની ઉજવણી આગામી તારીખ 6-3-2023 ને સોમવારના રોજ ક્યારે દૂધરેજ ખાતે હોલિકા દહન ભવ્ય સંતવાણી તેમજ મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હોય ઉપરાંત મહોત્સવમાં ગુજરાતના નામચીન કલાકારો ઉપસ્થિત રહેવાના હોય ત્યારે મોરબીના રબારી સમાજના અગ્રણીઓ ઉદ્યોગપતિઓ વિદ્યાર્થીઓ gpscની તૈયારી કરતા વિદ્યાર્થીઓ શહીદ 150 જેટલા સેવકો પણ પોતાનું બે દિવસ નું કામકાજ છોડી સેવારૂપી યજ્ઞમાં પોતાની આહુતિ આપશે.





