સ્વ. ઉષાબેન રવિચંદ જેસ્વાણીના સ્મરણાર્થે મોરબીમાં 4 અને 5 ફેબ્રુઆરીનાં રોજ 12 નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પસનું આયોજન
હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ અને N. I. M. A., મોરબી દ્વારા સ્વ. ઉષાબેન રવિચંદ જેસ્વાણીના સ્મરણાર્થે મોરબીમાં 12 નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પસનું આયોજન કરવામાં આવેલ છે.
પુષ્ય નક્ષત્ર તારીખ 4/2/23, શનિવારનાં આખો દિવસ છે તથા તારીખ 5/2/23 નાં બપોરે 12 વાગ્યા સુધી શ્રેષ્ઠ એવો “રવિપુષ્યામૃત યોગ” બને છે. જે નિમિતે મોરબી જિલ્લામાં વિવિધ સ્થળોએ “નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પસ” નું આયોજન કરવામાં આવેલ છે.
હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી શ્રી સાગર જેસ્વાણી
અને
N.I.M.A. મોરબીના પ્રમુખશ્રી ડૉ. હાર્દિક જેસ્વાણી (મહેશ્વરી હોસ્પિટલ, સાવસર પ્લોટ, મોરબી) દ્વારા મહત્તમ સંખ્યામાં આ કેમ્પસનો લાભ લેવા લોકોને અનુરોધ કરવામાં આવે છે.