મોરબીના રણછોડનગર વિસ્તારમાં આવેલ જલારામ પાર્કમાં ચુંટણી બહિષ્કારના બેનેરો લાગ્યા
મોરબી: મોરબીમાં ભાજપનું એક હથુ શાસન હોવા છતાં મોરબીના રણછોડનગર વિસ્તારમાં આવેલ જલારામ પાર્કમાં પ્રાથમિક સુવિધાઓ અભાવે જલારામ પાર્કમાં ચુંટણી બહિષ્કારના બેનેરો લગાવ્યા છે.
જલારામ પાર્કના રહીશોનું કેહવુ છે કે અહીયા ચોમાસામાં પાણી ભરાઈ છે જેથી ગંદકી થાય છે અને લોકો બિમાર પડે છે. તેમજ અહીયા વેલા અવારનવાર ચોરીઓ પણ થતી હતી જેથી જલારામ પાર્કમાં રહેતા ૪૮ ફ્લેટના રહીશોએ ભેગા મળી વંડી ફરતે પોતાના ખર્ચે બનાવી છે હજુ પણ પ્રાથમિક સુવિધાઓનો હોય જેવી કે બ્લોક નથી, સારો રોડ નથી તેમજ જલારામ પાર્ક પાછળ ખુલ્લી જગ્યામાં ગંદકી હોય તેમજ લોકો ત્યાં દારૂની મહેફિલો માણવા આવતા હોય છે તો તેમના વિરુદ્ધ તંત્ર દ્વારા યોગ્ય પગલા લેવામાં આવે અને અમારી જે માંગ કરવામાં આવી છે તેના પર યોગ્ય આદેશ કરવામાં આવે





