જામનગરના ભામાશાએવા લાલ પરીવાર દ્વારા તેમના માતૃશ્રીના જન્મદિવસ નિમિત્તે સર્વે સમાજના સમુહલગ્નનુ આયોજન કરાયું

મોરબી: જામનગરનાં ભામાશા પરીવાર અશોકભાઈ લાલ જીતુભાઈ લાલ તેમના માતૃશ્રીના જન્મદિવસ નિમિત્તે દશેરાના દિવસે સર્વ સમાજના સમુહલગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા 108/(એકસો આઠ) દીકરીઓને પરણાવી પુન્ય નું ભાથું બાંધ્યું ભવ્ય સ્વાગત કર્યું જેમાં બધા વરરાજાને બગીમાં બેસાડી મંડપ સુધી સામૈયું કરાયું અને નેવી બેન્ડ વાલસુરાનાં જવાનને પોતાના મધુર કંઠે બેન્ડનાં સુર રેલાવતા એક અનોખી અનુભૂતિ થઈ તમામ સમાજના આગેવાનો કાર્યકરો દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી મંદી મોંધવારી ધંધા રોજગાર બંધ ત્યારે માવતર ને દીકરીના લગ્નની ચિન્તા હોય ત્યારે લાલ પરીવાર દ્વારા સેવા સમર્પણ સંવેદના સહકાર સદભાવના નિણાર્યક તરીકે પહેલેથી પ્રખ્યાત છે તેવો યે પુન્યનું ભાથું બાંધ્યું હજારો લોકો જોડાયા અને મહાપ્રસાદનો લાભ લીધો કરીયાવર પણ સારો જરૂરી વસ્તુઓ પેકિંગ કરીને આપવામાં આવી કુલ 65/પાંસઠ વસ્તુઓ આપી દશેરાના દિવસે સવારે શુભ મુહૂર્તમાં લગ્ન વીધી ચાલુ થઈ હતી
સમયસર પ્રસંગ સુંદર સુપર સરસ રીતે જમાવટ પરફેકટ રીતે પાર પાડ્યો ખુબ ખુબ ધન્યવાદ ને પાત્ર છે લાલ પરીવાર અશોકભાઈ લાલ જીતુભાઈ લાલ તેમના માતુશ્રી પરીવારનાં બધા સભ્યો ટ્રસ્ટી મંડળના સભ્યો.







