પરિવર્તન માટે વાંકાનેરની જનતા તૈયાર;ઇન્દ્રનીલ રાજ્યગુરુએ તમામ કાર્યકર્તાઓને કામે લાગી જવા કરી હાકલ.

વાંકાનેર:ચૂંટણીનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ આમ આદમી પાર્ટીનું જોર વધી રહ્યું છે. ગુજરાતની જનતા પણ હવે સત્તા પરિવર્તન ઇચ્છી રહી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે ગઈ કાલે વાંકાનેર ખાતે ઇન્દ્રનીલ રાજ્યગુરુ એ “આપ”ના તમામ કાર્યકર્તાઓ સાથે મિટિંગ કરી હતી તેમજ કહ્યું હતું કે વાંકાનેર ની જનતા પરિવર્તન કરવા માટે તૈયાર છે.આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની આ મિટિંગ જોયા બાદ ભાજપ-કોંગ્રેસની પણ ચિંતામાં વધારો થવાનો છે એ સ્વાભાવિક છે.






