વાંકાનેરના સિંધાવદર ગામે નદીના પાણીમાં ડૂબી જતાં પરપ્રાંતીય શખ્સનુ મોત
મોરબી: વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામે નદીના પાણીમાં ડૂબી જતાં પરપ્રાંતીય શખ્સનુ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
મળતી માહિતી મુજબ સોવનભાઈ લેબેયાભાઈ બીરુવા રહે કેન્દપોસી હાટગમરીયા થાણું, તા. કરંજીયા, વેસ્ટ સિંગભુમ વાળો તેનાં વતનથી પહેલી વખત ગુજરાતમાં રાજીવભાઇ લેબેયાભાઇ બીરુવા રહે હાલ સરતાન પર રોડ સેકોલ સીરામીક સરતાનપર તા.વાંકાનેર વાળાની
ઘરે ટ્રેનમાં આવતો હોય, જેથી મરણજનાર ભુલથી વાંકાનેરનાં બદલે સીંધાવદર રેલ્વે સ્ટેશને ઉતરી જતા ભુલો પડતા કોઇ કારણોસર નદીનાં કાંઠે જતા કોઇ પણ રીતે નદીનાં પાણીમાં પડી જતા ડુબી જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.





