અજયભાઈ લોરિયા લમ્પીમાં મૃત્યુ પામેલ ગૌવંશ દીઠ એક એક હજારની સહાય કરશે.
મોરબીના ભામસા અજય લોરિયા દ્વારા લેમ્પી રોગથી મૃત્યુ પામેલ ગૌવંશ દીઠ એક એક હજારની સહાય અપાશે.
આજરોજ જિલ્લા પંચાયત ખાતે યોજાયેલ સામાન્ય સભા દરમિયાન વિરોધ પક્ષ દ્વારા લમ્પી માં મૃત્યુ પામેલ ગૌવંશ માટે સહાયની માગણી કરી હતી. પરંતુ આ સહાય મંજૂર થઈ ન હતી. ત્યારે મોરબીના ભામાસા મોરબી જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના અધ્યક્ષ અજયભાઈ લોરિયા દ્વારા એક એક ગૌવંશ દીઠ એક એક હજારની સહાય આપવાનું જાહેર કર્યું હતું.





