Wednesday, May 7, 2025

હળવદ એસટી ડેપોમાં પીવાના પાણીની મુશ્કેલીથી મુસાફરોમાં રોષ, તાત્કાલિક વ્યવસ્થા ઉભી કરવા માંગ

Advertisement
Advertisement
Advertisement

હળવદ એસટી ડેપોમાં શહેરી, ગ્રામ્ય તેમજ અન્ય જિલ્લાઓમાંથી અંદાજે 3000 થી વધુ મુસાફરો આવે છે. પરંતુ ડેપોમાં મુસાફરોને પીવાના પાણીની સુવિધા ન હોવાથી રોષની લાગણી ફેલાઇ છે. લોકોને પૈસાથી પાણી પીવાનો ઘાટ સર્જાતાં પાણીની વ્યવસ્થા કરવાની માંગ કરી હતી.

આ બસ સ્ટેશનમાં અનેક અસુવિધાઓને લઇને મુસાફરો હાલાકીનો સામનો કરી રહ્યા છે. કારણ કે હળવદ એસટી ડેપોમાં દરરોજ અંદાજે 3000થી વધુ મુસાફર આવી રહ્યા છે. ત્યારે આ બસ સ્ટેશનમાં એક સિન્ટેક્ષની પાણીની ટાંકી મૂકીને મુસાફરો માટે પાણીની પરબ શરૂ કરવામાં આવી હતી.
પરંતુ છેલ્લી 10 ઉનાળાની સિઝનથી આ પરબમાંથી પાણી ન મળતું હોવાની રાવ ઉઠી હતી. આ અંગે લોકોનો આક્રોશ સાથે જણાવ્યું હતું કે, આ બસ સ્ટેશનની પરબે પાણી પીવા આવીએ ત્યારે કોઇ જ વ્યવસ્થા નથી, પાણીના નળ પણ નથી પાણીની ટાંકીમાં પાણી નથી અને પરબમાં જ્યાં પાણી ભરવાની જગ્યા છે તે પાણીના પાઉચ સહિતના કચરા સાથેની ગંદકીથી દૂષિત બની છે.


પાણી ન હોવાના કારણે બાળકો, વૃદ્ધોને પૈસા ખર્ચીને પાણી પીવડાવવાનો વારો આવે છે. હાલ ઉનાળાના તાપથી લોકોને તરસ લાગવાથી પાણીની અતિ જરૂરિયાત રહે છે. આથી એસટીના જવાબદાર તંત્ર દ્વારા આ પરબની ભાળ લઇને લોકોને પાણી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકોની લાગણી અને માંગણી છે.

Related Articles

Total Website visit

1,502,787

TRENDING NOW