હળવદના ધનાળા ગામે વાડીએ મુકેલ ઝાટકામા શોર્ટ લાગતા યુવકનુ મોત
મોરબી: હળવદ તાલુકાના ધનાળા ગામની સીમમાં વાડીમાં મુકેલ ઝાટકાના તારને અડીજતા શોર્ટ લાગતા યુવકનુ મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મુળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલ હળવદ તાલુકાના ધનાળા ગામે જયેશભાઇ વાસુદેવભાઇ દલવાડી ની વાડીમાં રહેતા ૩૩ વર્ષીય વિક્રમભાઈ ઉર્ફે ઇકરીયા ભંગડાભાઈ ડાવર ગત તા.૧૯-૦૯-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે પોતાની વાડીમાં આંટો મારવા ગયેલ હોય અને અકસ્માતે બાજુની વાડીના શેઢે મુકેલ ઝાટકાના તારને અડીજતા શોર્ટ લાગતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.





