આઝાદી ના અમૃત મહોત્સવ અંતર્ગત નિયામક આયુષની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારીની સૂચના મુજબ ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે સર્વરોગ આયુર્વેદ અને હોમિયોપથી ની:શુલ્ક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં આયુર્વેદ નિદાન અને સારવારનો ૮૭ દર્દીઓએ તેમજ હોમિયોપેથી નિદાન અને સારવારનો ૧૩૦ દર્દીઓએ લાભ લીધો હતો સાથે આયોજિત યોગ પ્રશિક્ષણ શિબિરનો ૨૦૦ લોકોએ લાભ લીધો હતો સાથે જ કોરોના સંક્રમણ સામે રક્ષણાત્મક શમશમની વટીનો ૬૨ લાભાર્થીઓએ અને કોરોના સંક્રમણ સામે રક્ષણાત્મક હોમિયોપેથી દવા Ars.alb.30 નો ૪૩૨ લાભાર્થીઓએ લાભ લીધો હતો. કેમ્પમાં ડો. જે પી ઠાકર, ડો. એન સી સોલંકી, ડો. વિજય નંદેરી યા, ડો. દિલીપ વિઠલપરા, અને ડો. વીરેન ઢેઢી સહિતના ડોક્ટરોની ટીમે સેવા આપી હતી.





