મોરબી: સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા આગામી સમયમાં આયુષ્યમાન કાર્ડ મહાકેમ્પનું આયોજન કરવામાં આવશે. તેથી મોરબીમાં તથા આસપાસના વિસ્તારમાં વસતા ભૂદેવો નીચે મુજબના સ્થળે જણાવેલ ડોક્યુમેન્ટ તારીખ ૨૫-૧૦-૨૦૨૧ થી ૨૦-૧૧-૨૦૨૧ સુધીમાં જમાં કરાવવા.ડોક્યુમેન્ટ ની પાછળ જે તે વ્યક્તિએ પોતાનું નામ,૨ – અલગ અલગ મોબાઈલ નંબર અને સરનામું ફરજિયાત લખાવાનું રહેશે.
તથા ડોક્યુમેન્ટમાં (૧) તાજેતરનો મામલતદારનો (૪ લાખથી નીચેની આવક)નો દાખલો, (૨) રેશન કાર્ડ, (૩) રેશન કાર્ડમાં નામ ધરાવનાર તમામના આધાર કાર્ડ તેમજ ડોક્યુમેન્ટ (૧) સાર્થક વિદ્યાલય – ૭૦૧૬૩૬૩૩૫૦, સમય ૪ થી ૬, (૨) ભારતી વિદ્યાલય ૭૦૬૯૭૬૯૮૫૯, સમય ૪ થી ૬, (૩) ઔદિચ્ય બ્રાહ્મણ વાડી – ૦૨૮૨૨ ૨૨૫૫૧૫, સમય ૪ થી ૬ (૪) ચા.મ. મોઢ બ્રાહ્મણ વાડી- ૯૯૨૫૪૦૯૩૨૧, સમય – ૪ થી ૬, (૫) શ્રીમાળી બ્રાહ્મણ વાડી – ૯૪૨૮૨૬૭૭૪૧, સમય ૧૧ થી ૧૨,૫ થી ૬, (૬) પરશુરામ ધામ મંદિર – ૯૮૨૫૬૭૧૬૯૮, (૭) નલિની વિદ્યાલય – ૯૪૨૬૧૬૫૪૭૦, સમય – ૯ થી ૧૧ આ તમામ સ્થળ ઉપર જણાવેલ ડોક્યુમેન્ટ તા.૨૦-૧૧-૨૦૨૧ સુધીમાં જમાં કરાવવા. તથા કેમ્પની તારીખની જાણ ડોક્યુમેન્ટ જમા કરાવનારને ફોનથી કરવામાં આવશે. વધુ માહિતી માટે કિશોરભાઈ પંડ્યા -૯૯૨૪૯૬૮૧૭૧, કેયુરભાઈ પંડ્યા -૯૪૨૯૪૮૪૪૪૦, અમુલભાઈ જોષી-૯૨૨૭૧૦૦૦૧૧ નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું હતું.