સંસ્કૃત ભારતી દ્વારા હરીયાણા ખાતે અખિલ ભારતીય મહિલા ગોષ્ઠી અને સંમેલન યોજાશે, મોરબીની પાંચ મહિલાનો સંમેલન સમાવેશ

મોરબી: તા. 6 થી 8 દરમિયાન સંસ્કૃત ભારતી દ્વારા સમાલખા(પાનિપત-હરિયાણા) ખાતે અખિલભારતીય મહિલા ગોષ્ઠિ અને સંમેલન યોજાશે.

સંસ્કૃત ભારતી દ્વારા આયોજિત અખિલ ભારતીય મહિલા સંમેલન 6-7-8નવેમ્બર સમાલખા- પાનીપત, હરિયાણા ખાતે શરૂ થઈ ગયો છે કે જ્યાં મોરબી માટે ગૌરવની વાત છે કે મોરબીથી પાંચ બહેનો કૃપાનીબેન ભટ્ટ,ઉષાબેન પંડ્યા,પલ્લવીબેન કણસાગરા, સીમાબેન શુક્લ,નિમુબેન હડિયલ સમગ્ર સૌરાષ્ટ્ર પ્રાંતનું પ્રતિનિધિત્વ સાથે અખિલ ભારતીય મહિલા સંમેલનમાં સંમેલિત થશે. સર્વ બહેનોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી.





