શ્રી રઘુવંશી યુવક મંડળ મોરબી દ્વારા શ્રી સરસ્વતી સન્માન સમારોહ નું આયોજન રાબેતા મુજબ ચાલુ છે.
લોહાણા જ્ઞાતિબંધુ માટે જાણવા જોગ
જય જલારામ, જય રઘુવીર
સર્વે જ્ઞાતિબંધુઓને જણાવવાનું કે આગામી તારીખ 29/09/2024 ના રોજ શ્રી રઘુવંશી યુવક મંડળ મોરબી દ્વારા આયોજિત શ્રી સરસ્વતી સન્માન સમારોહ રાબેતા મુજબ નિર્ધારિત સમયે ચાલુ છે, તો સર્વે વિદ્યાર્થી મિત્રો તથા જ્ઞાતિબંધુઓ આ બાબતની નોંધ લઇ અને કાર્યક્રમમાં સમયસર હાજરી આપે તેવી શ્રી રઘુવંશી યુવક મંડળ ની નમ્ર વિનંતી છે.
શ્રી લોહાણા વિદ્યાર્થી ભુવન પાસેના રોડનું નિર્માણ કાર્ય ચાલુ હોય જ્ઞાતિબંધુઓને પડતી અગવડતા બદલ ક્ષમા પ્રાર્થના સાથે વિનંતી કરવાની કે આજુ-બાજુની શેરીઓ માં પોતાના વાહન વ્યવસ્થિત પાર્ક કરી અને કાર્યક્રમમાં હાજરી આપશો.
ખાસ નોંધ : કાર્યક્રમ પૂર્ણ થયેલ જલારામ બાપાનો ભોજન પ્રસાદ સર્વે જ્ઞાતિ બંધુઓ સાથે ગ્રહણ કરીશું.