મોરબી શહેરમાં વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ ની શહેર ની ટિમ દ્વારા મોરબી વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળની જિલ્લા ટિમના માર્ગદશન હેઠળ ત્રિશુલ દિક્ષાનુ આયોજન કરવામાં આવ્યું હતું.
ત્રિશુલ દિક્ષા આપતા પેહલા આપણા દેશના સૈન્યની ત્રણેય પાંખના વડા ચિફ ઓફ ડિફેનસ સ્ટાફના વડા જનરલ બિપીન રાવતજી તથા તેમની સાથે દુર્ઘટના મા અવસાન થયેલા સૈન્યના જવાનના સંદર્ભમા વિશ્વ હિંદુ પરિષદ પરિવાર દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યારબાદ વંદે માતરમ રાષ્ટ્રીય ગિત ગાવામાં આવ્યું હતું. અને પછી ૨૫૧ સનાતની ભાઈઓને ત્રિશુલદિક્ષા આપી અને હિંદુત્વ ની રક્ષા માટેના શપથ લેવડેવયાહતા. આવકાર્યક્રમમાં સાથ આપનાર ભાઈઓ તથા કાર્યક્રમમાં ભાગ લઈ ત્રિશુલદીક્ષા લેનાર તમામનો વિશ્વ હિન્દુ પરિષદ દ્રારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
