કાલે 1 જાન્યુઆરી 2025 એટલે કે નવા વર્ષનો પહેલો દિવસ કોઈ પશ્ચિમ સંસ્કૃતિ કરણ નહીં પરંતુ સનાતન વાતાવરણ સાથે સંપૂર્ણ પરિવાર સાથે ઉજવાય એ કાર્યક્રમ છેલ્લા ત્રણ વર્ષથી વિકાસ પાર્કમાં કરનેવાલા શ્યામ કરનેવાલા શ્યામ ના નામે કરવામાં આવે છે ત્યારે એકતા એજ લક્ષ્ય સંગઠન ને વિકાસ પાર્ક માં શ્યામ દરબારમાં વિશેષ અતિથિ તારીખે આમંત્રણ મળ્યું હતું છેલ્લા ત્રણ વર્ષથી સતત પહેલી જાન્યુઆરીએ થતા કાર્યક્રમ ને સનાતનની વાતાવરણ થી ઉજવાય છે તથા ભગવાન ખાટુ શ્યામ ના ગીતો તથા ખાટુ શ્યામની જ્યોત અને દરબાર પણ ભરાય છે સાથે પ્રસાદની વ્યવસ્થા પણ હોય છે તો આ કાર્યક્રમમાં આપણા સંગઠનને વિશે આમંત્રણ હતું તથા સંગઠનના સંસ્થાપક હિન્દુ ભગીરથ સિંહ રાઠોડ ને સનાતનની વક્તવ્ય આપવા માટે કહેવાયું હતું જેમાં દસ મિનિટ સનાતનની સંબોધન કરવામાં આવ્યું હતું તથા મોરબીના સમસ્ત હિન્દુ તે પછી ગુજરાતના હોય કે ગુજરાત બહારના તે કોઈ પણ ભાષા બોલતા હોય કોઈપણ રાજ્યના હોય પરંતુ હિન્દુ છે તો આપણા ભાઈ છે તથા દરેક સનાતની એક સાથે સુરક્ષિત રહે એક રહે અને કોઈપણ દીકરી લવ જીહાદ જેવા ષડયંત્ર માં ન ફસાય એવા અનેક વિષયો ઉપર ભગીરથ સિંહ દ્વારા સંબોધન પણ થયું હતું. આવી જ રીતે આપણે સનાતન ઉત્સવમાં બધા સાથે મળી અને કાર્ય કરીશું. સાથે મોરબી જિલ્લા ટીમ પણ રહી હતી જેમાં ડોક્ટર શરદભાઈ, રાજુભાઈ ઠક્કર, જયેન્દ્રભાઈ, સંદીપભાઈ પટેલ, પંકજભાઈ, સત્યજીતસિંહ, ધર્મેન્દ્રભાઈ પટેલ, રસિકભાઈ, શ્યામભાઈ , કિશન ભાઈ તથા મધુસુદનભાઈ સંગઠન થી ઉપસ્થિત રહ્યા હતા.





