વાંકાનેર: વાંકાનેર શહેરમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઇ લેતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકે નોંધ કરવામાં આવી.
મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરમાં આંબેડકરનગરમાં રહેતા ૨૨ વર્ષીય રાહુલભાઇ રાજેશભાઇ વાઘેલા એ ગઈકાલે તા.૧૫ના રોજ પોતાના ઘરે કોઇપણ કારણોસર ગળાફાસો ખાય લેતા મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે બનાવની નોંધ કરીને આગળની વધુ તપાસ હાથ ધરી છે.