વાંકાનેર બાઉન્ડ્રી ના પુલ પર થી પડતું મૂકી યુવકે જીવન ટુંકાવ્યું.
વાંકાનેર બાઉન્ડ્રી નજીક આવેલ પુલ પરથી રાજકોટના યુવકે ઝંપલાવી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું ત્યારે આ અંગે અકસ્માતે મૃત્યુનોંધ કરી તાલુકા પોલીસે કાર્યવાહી હાથ કરી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ ગત તા.26ના રોજ રાત્રીના સમયે વાંકાનેર બાઉન્ડ્રીના પુલ ઉપરથી પડતું મૂકી રાજકોટના લોધિકા તાલુકાના મેટોડા જીઆઇડીસીમા રહેતા કેતનકુમાર કિશનભાઈ ચાવડા ઉ.25 નામના યુવાને અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.





