વાંકાનેર ના સરતાનપર રોડ પરની ફેકટરીમાં ગળેફાંસો ખાઈ લેતા શ્રમિક નું મોત.
વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ એક સિરામિક ફેકટરીમાં કામ કરતા અને લેબર ક્વાટર્સમાં રહેતા શ્રમિક અગમ્ય કારણોસર લેબર ક્વાર્ટર માં ગળેફાંસો ખાઈ લેતા મોત નિપજ્યું હતું. ત્યારે આ બાબતે હાલ પોલીસ તપાસ ચલાવી રહી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ કેમરાન સીરામીક ફેકટરીમાં કામ કરતા અને લેબર ક્વાટર્સમાં રહેતા હેમંતભાઇ કબીરાજભાઇ બળતીયા ઉ.20 નામના શ્રમિકે કોઈ અગમ્ય કારણોસર લેબર ક્વાટર્સમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.





