Saturday, March 7, 2026

વાંકાનેરમાં ઘરધણીને સુતા રાખી તસ્કરો ચોરી કરી ગયા

Advertisement
Advertisement
Advertisement

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર બ્રાહ્મણ સોસાયટીમાં રહેતા અને પીજીવીસીએલમા નોકરી કરતા દિવ્યેશભાઈ જગદીશભાઈ જાનીએ સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.24 જાન્યુઆરીના રોજ તેઓ પરિવાર સાથે ઘરના ઉપરના માળે સુતા હતા ત્યારે વહેલી સવારે અજાણ્યા તસ્કરે ઘરના નીચેના માળનું તાળું તોડી કબાટમાંથી સોનાની બુટી, ચેઇન, પાટલા, સોનાની માળા, રોકડા રૂપિયા 10 હજાર તેમજ એક નોકિયાનો સાદો મોબાઈલ સહિત 50,300ની ચોરી કરી લઈ જતા બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી.

Related Articles

Total Website visit

1,595,066

TRENDING NOW