વાંકાનેર તાલુકાના કણકોટ ગામે પરિણીતાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે વાંકાનેર પોલીસ મથકે નોંધ કરવામાં આવી છે.
મળતી માહિતિ મુજબ વાંકાનેરના કણકોટ ગામે રહેતી રેમીબેન પાચાભાઇ મુંધવા (ઉ.વ.25)એ ગઈકાલે તા.29 ના રોજ પોતાના ઘરે કોઇ કારણસર ગળે ફાંસો ખાઇ લીધો હતો. જેથી તેનું મોત થયું છે. પોલીસ સુત્રોથી મળતી વિગતો મુજબ મૃતક રેમીબેનના લગ્નગાળો 7 મહિનાનો છે. હાલ તેઓ સાસુ-સસરા સાથે રહેતા હતા. આ બનાવ અંગે વધુ તપાસ DySP રાધીકા ભારાઇ ચલાવી રહ્યા છે.





