Tuesday, June 23, 2026

વર્ષામેડી નજીક એક ફેકટરીમાં વીજશોક લાગતા શ્રમિકનું મોત.

Advertisement
Advertisement
Advertisement

વર્ષામેડી નજીક એક ફેકટરીમાં વીજશોક લાગતા શ્રમિકનું મોત.

માળિયાના વર્ષામેડી નજીક આવેલ એક સોલ્ટની ફેકટરીમાં કામ કરતી વેળાએ ઉત્તરપ્રદેશના શ્રમિકને વીજશોક લાગતા તેનું મોત નિપજ્યું હતું.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ માળીયા તાલુકાના વર્ષામેડી નજીક આવેલ મહારાજ સોલ્ટ વર્કસ કારખાનામાં ઇલેક્ટ્રિક કામ કરતી વેળાએ મૂળ ઉત્તરપ્રદેશના વતની આલીમભાઇ રાસીદભાઇ અંસારી ઉ.24 નામના યુવાનને વીજશોક લાગતા સારવાર માટે મોરબી ખસેડવામાં આવતા મૃત્યુ નીપજ્યું હતું, બનાવ અંગે માળીયા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

Related Articles

Total Website visit

1,609,176

TRENDING NOW