Friday, May 2, 2025

રીક્ષા ઉભી ન રાખતા બે શખ્સોએ રીક્ષા ચાલકને માર માર્યો

Advertisement
Advertisement
Advertisement

મોરબીના ગોકુલ નગર નજીકથી પસાર થતા રીક્ષા ચાલક એ રીક્ષા ઉભી ન રાખતા બે શખ્સોએ પરીક્ષા ચાલક યુવાનને માર માર્યો હોય ત્યારે આ બાબતે રીક્ષા ચાલક યુવાને બે શખ્સો વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. અત્યારે પોલીસે રિક્ષાચાલકની ફરિયાદને આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ત્યારે આ સમગ્ર મામલે મળતી માહિતી મુજબ મોરબીના ગોકુલનગરમા બાપા સીતારામ મઢુલી પાસે રહેતા પ્રવિણભાઇ નારણભાઈ કંઝારિયા (ઉ.વ.૩૨) એ આરોપી અર્જુન સલાટ રહે. દલવાડી સર્કલ પાસે ઝુંપડામાં મોરબી તથા સચિન દેગામા રહે. વીસીપરા મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીની રીક્ષા ઉભી રાખવા બાબતે ઇસારો કરતા ફરીયાદીએ પોતાની રિક્ષા ઉભી ન રાખતા જેનો ખાર રાખી બંને આરોપીઓએ ફરીયાદીને ગાળો આપી ઢીકાપાટુનો તેમજ લાકડી વડે મારમારી મુંઢ ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,697

TRENDING NOW