મુખ્યમંત્રી સાથે કરીને શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ શિક્ષણ વિભાગ સંલગ્ન તમામ કચેરીઓમા તા.15/01/2022ને શનિવારના રોજ રજા જાહેર કરવાનો નિર્ણય
તા.14/01/2022ના રોજ ઉત્તરાયણના પર્વ નિમિત્તે રાજ્યમાં જાહેર રજા જાહેર છે. ચાલુ નાણાકીય વર્ષમાં તા.16/01/2022ના રોજ પણ રવિવારની જાહેર રજા આવતી હોઇ રાજ્યની શાળાઓ અને કોલેજો (ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ)ના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ (સમગ્ર સ્ટાફ) તથા વિદ્યાર્થીઓને સળંગ ત્રણ રજાનો લાભ મળે તેમજ પર્વની ઉજવણી તેઓ સારી રીતે કરી શકે તે ધ્યાને લેતાં શિક્ષણ વિભાગ હસ્તકની તમામ સરકારી, અનુદાનિત અને ખાનગી શાળાઓ અને કોલેજો (ઉચ્ચ શિક્ષણ અને ટેક્નિકલ શિક્ષણ)માં તા.15/01/2022 ને શનિવારના રોજ રજા જાહેર કરવાનો નિર્ણય કરેલ છે.





