મોરબી: શ્રમ અને રોજગાર પંચાચત (સ્વતંત્ર હવાલો) ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજય મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ મોરબી તાલુકાના સુપ્રસિધ્ધ બગથળા નંકલંક ધામના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
નંકલંક ધામના મંહત દામજી ભગતનું મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ શાલ ઓઢાડી આર્શીવાદ લીધા હતા. ત્યારે મંહતએ પણ મંત્રીને શાલ ઓઢાડી લોકોના વધુને વધુ કામો કરવાના આશીર્વાદ આપ્યા હતા. મંત્રીએ નંકલંક ધામ ખાતે મોરબીના રાજવી વાઘજી ઠાકોરે વર્ષો અગાઉ મંદિરને આપવા આવેલ ગીર ગાયના વંશજ ની જ ગાયોની ગૌ શાળાની મંહત સાથે મુલાકાત લઇ પ્રશંસા વ્યકત કરી હતી.
