રણમલપુર અને ધણાદ વચ્ચે આવતી કેનાલ માં ડૂબી જતાં યુવાનનું મોત.
હળવદ ના રણમલપુર અને ધણાદ વચ્ચે આવતી કેનાલ માં ડૂબી જતાં ધ્રાંગધ્રાના એક યુવાનનું મોત નિપજ્યું હતું. ત્યારે આ અંગે અકસ્માતે મૃત્યુ નોંધ કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ અનિરુધ્ધસિંહ રૂપસિંહ ઝાલા ઉ.વ.૪૫ રહે.જેસડા તા. ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર વાળા,રણમલપુર અને ઘણાદ વચ્ચે નર્મદા કેનાલમા કોઇપણ કારણોસર ડુબી જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.





