મોરબી સિરામીક એશોસીએસન દ્વારા સીરામિક ઉદ્યોગના વિવિધ પ્રશ્નોને લઈને રાજ્યકક્ષા મંત્રી બ્રિજેશ મેરજાની આગેવાનીમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી હતી.
મોરબીના સિરામીક ઉદ્યોગના વિવિધ પ્રશ્નો જેવા કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જે રીતે ગેસનો ભાવવધારાના કારણે સિરામિક ઉદ્યોગકારો દયનીય હાલત થય છે. ત્યારે સિરામિક ઉદ્યોગને બચાવવા માટે નવા ભાવવધારામાં રાહત આપવા, તેમજ ગુજરાતના કોલસાના ક્વોટા વધારવા જેવા વિવિધ પ્રશ્નોની મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજુઆતમાં રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાની સાથે મોરબી સિરામીક એશોસીએસનના પ્રમુખ નિલેષભાઇ જેતપરીયા, કીરીટભાઇ પટેલ, વિનોદભાઇ ભાડજા તેમજ ઉપપ્રમુખ હરેશભાઇ બોપલીયા જોડાયેલ હતા. અને આગામી સમયમા એક્સપોર્ટ જળવાઇ રહે તે માટે સરકાર દ્વારા સહયોગ મળે તે માટે રજુઆત કરેલ હતી.





