Tuesday, March 10, 2026

મોરબી: વિજયનગરથી આલાપ રોડ સુધી પાઇપ નાખવાનું કામનું ખાતમુહુર્ત કરાયું

Advertisement
Advertisement
Advertisement

મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન કે. પરમાર, ઉપપ્રમુખ જયરાજ સિંહ જાડેજા, કારોબારી અધ્યક્ષ સુરેશભાઈ દેસાઈ તેમજ ચિફ ઓફિસર ગીરીશભાઈ સરૈયાના માર્ગદર્શન હેઠળ તેમજ વોર્ડ નંબર ૧૨ના અભ્યાસુ અને સતત લોકોના કામો માટે જાગ્રુત અને પ્રયત્નશીલ રહેતા કાઉન્સીલરઓ નિમિષાબેન રાજેશભાઇ ભીમાણી, ચુનીભાઈ પરમાર, બ્રિજેશ ભાઈ કુંભારવાડીયાં અને અવચરભાઈ જાદવના પ્રયાસોથી આજરોજ વરસાદી પાણીનાં નિકાલ માટે વિજય નગર ૩ થી આલાપ રોડ પર પાઇપો નાંખવાના કામનું ખાત મુહૂર્ત કરવામાં આવેલ છે.

અત્રે ઉલ્લેખનીય રહેશે કે વોર્ડ નંબર ૧૨ના કાઉન્સીલરએ મોરબીના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાને રજૂઆત કરતા વર્ષો જુનો આ પાણીનાં નિકાલનો પ્રશ્ન હવે હલ થવા જઈ રહ્યો છે. જેથી આ વિસ્તારમાં હર્ષની લાગણી પ્રસરી છે.

Related Articles

Total Website visit

1,595,233

TRENDING NOW