મોરબી: સરકારે ૧૮ થી ૪૪ વયના નાગરિકોને કોરોના રસી મુકાવવાની ઝુંબેશ શરુ કરી હોય જેમાં રામધન આશ્રમના શિષ્યા રતનબેન (રત્નેશ્વરીબેન) દ્વારા રજીસ્ટ્રેશન કરાવી રાજકોટ ખાતે પોપટપરામાં આવેલ કુમારશાળામાં તેમને રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. તથા રતનબેને જણાવ્યું હતું કે, કોરોના મહામારી સામે લડવા માટે રસી મુકાવવી જરૂરી છે. જેથી દરેક નાગરિકો રસી જરૂર મુકાવે અને રસી સુરક્ષિત હોવાનું જણાવ્યું હતું.





