મોરબીના ધરમપુર ગામ નજીક આરટીઓ પુલ પાસે મચ્છુ નદીના પાણીમાં પડી જતાં આધેડનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબીમા આરટીઓ પુલ પાસે મચ્છુ નદીના પાણીમાં પડી જતાં કસ્તુરીબેન જયંતીભાઈ ઉધરેજા (ઉ.વ.૬૬.રહે. અવધ સોસાયટી ગુજરાત હાઉસીંગ બોર્ડની પાછળ. મોરબી) કોઈ કારણોસર ધરમપુર ગામ આરટીઓ પુલ પાસે નદીના પાણીમાં ડુબી જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મોત નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.





