મોરબી: બજરંગદળના નેજા હેઠળ 3 જાન્યુઆરીએ શોર્ય સંચાલન કાર્યક્રમનું આયોજન
મોરબી: વિશ્વ હિંદુ પરિષદના મોરબી જિલ્લા , મોરબી શહેર , મોરબી ગ્રામ્યના બજરંગદળના નેજા હેઠળ તારીખ :- ૦૩/૦૧/ ૨૦૨૩ અને મંગળવારના રોજ શૌર્ય સંચાલન નું આયોજન કરેલ છે. સાંજે ૫:૩૦ કલાકે નરસંગ મહાદેવ મંદિર થી રવાપર રોડ થી ચકીયા હનુમાનજી મંદિર પાસે થઈ શાક માર્કેટ થઈ નગરદરવાજા ચોકમાં પુણઁ કરીશું .
આ કાર્યક્રમ બજરંગદળના નેજા હેઠળ થવા જઈ રહ્યો છે ત્યારે મોરબીમા રહેતા તમામ સનાતની ભાઈઓને જોડવા વિશ્વ હિંદુ પરિષદ આહવાન કરે જ છે પણ એની સાથે જે ભાઈઓએ ત્રિશુલ દીક્ષા લીધી છે એ લોકોએ ફરજિયાત હાજર રહેવાનું છે અને કાર્યક્રમ ને દીપાવવા નો છે.
ગણવેશ માટેની ખાસ નોંધ :- બજરંગદળના ત્રિશુલદીક્ષા લીધેલા કાર્યકર્તા ઓએ બજરંગદળ નો બેલટ અને ત્રિશુલ ફરજિયાત પહેરીને આવવુ.
જે કાર્યકર્તા પાસે બજરંગદળનુ ટિ શર્ટ છે એમને એ ટિ શર્ટ સાથે બલુ (વાદળી) અથવા બલેક(કાળું) પેંટ પહેરવું .જે કાર્યકર્તા બંધુ પાસે બજરંગદળનુ ટિ શર્ટ નથી તેમને સફેદ શર્ટ કે ટિ શર્ટ પહેરવું.





