મોરબી: ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ નિમિત્તે પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા પરશુરામ ધામ ખાતે અનકોટ દર્શન તેમજ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ પરશુરામ યુવા ગ્રુપની નવી ટીમની રચના કરવામાં આવેલ હતી.

જેમાં પરશુરામ યુવા ગ્રુપના નવા પ્રમુખ તરીકે નીરજભાઈ ભટ્ટ, મહામંત્રી તરીકે ધ્યાનેશભાઈ રાવલ, ધર્મેન્દ્રભાઈ જોષી, ઉપપ્રમુખ તરીકે ચિંતનભાઈ ભટ્ટ, અમિતભાઈ પંડ્યા, ભાર્ગવભાઈ દવે, ધ્વનિતભાઈ દવે, ધર્મેન્દ્રભાઈ શુક્લ, સહમંત્રી તરીકે આર્યનભાઈ ત્રિવેદી, યજ્ઞેશભાઈ જાની, પ્રણવભાઈ ત્રિવેદી, ઉર્વીશભાઈ જોષી, યાજ્ઞિકભાઈ ગામોટ, ખજાનચી તરીકે મનિષભાઈ જોષી, સોશ્યલ મિડિયા ઈન્ચાર્જ તરીકે હર્ષભાઈ વ્યાસની વરણી કરવામાં આવેલ છે.

આ તકે પરશુરામ ધામના પ્રમુખ ભુપતભાઈ પંડ્યા, સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ પ્રશાંતભાઈ મહેતા, દિનેશભાઈ પંડ્યા, મુકુંદરાય પી. જોશી, વિનુંભાઈ ભટ્ટ, દિપકભાઈ મહેતા, દિનેશભાઈ રાવલ, મુકેશભાઈ રાજગોર, હસુભાઈ પંડ્યા, કિશનભાઈ ઉપાધ્યાય, સુરેશભાઈ જોશી, તેમજ સમાજના આગેવાન વડીલો હાજર રહીને પરશુરામ દાદાની મહાઆરતી તેમજ અનકોટના પ્રસાદ લાભ લીધેલ હતો.
