Tuesday, March 10, 2026

મોરબી દશનામ ગોસ્વામી સમૂહલગ્ન સમિતિ દ્વારા ૧૨માં સમુહલગ્ન નું આયોજન

Advertisement
Advertisement
Advertisement

મોરબી દશનામ ગોસ્વામી સમૂહલગ્ન સમિતિ દ્વારા ૧૨માં સમુહલગ્ન નું આયોજન

ફક્ત દશનામ ગોસ્વામી સમાજ ના સહયોગ થી આયોજન કન્યાઓ ને કરીયાવર માં સોના ચાંદી આભૂષણો સહિત ૮૦ ચીજવસ્તુઓ ભેટ

૧૦ યુગલો લગ્નગ્રંથી થી જોડાશે.

મોરબી દશનામ ગોસ્વામી સમૂહલગ્ન સમિતિ દ્વારા ગોસ્વામી પ્રવિણભારતી ચંદ્રકાન્તભારતી ની આગેવાની માં ગોસ્વામી સમાજ ના ૧૨માં સમૂહલગ્ન નું આયોજન તા ૧૨-૦૨-૨૦૨૩ ના રોજ મોરબી ના સામાકાંઠે મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ ખાતે કરવામાં આવ્યું છે. આ સમૂહલગ્ન નું આયોજન ફક્ત દશનામ ગોસ્વામી સમાજ ના સહયોગ થી કરવામાં આવેલ છે. આ સમૂહલગ્ન માં દીકરીઓ ને કરીયાવર માં સોના ચાંદી ના આભૂષણો થી લઈ જીવનજરૂરીઆત ની કિંમતી ૮૦ ચીજવસ્તુઓ ની ભેટ આપવામાં આવશે.આ સમૂહલગ્ન માં ૧૦ યુગલો લગ્નગ્રંથી થી જોડાશે જેને આશીર્વાદ સવારે ૧૧ વાગ્યે પાઠવશે જેમાં સંતો મહંતો ગોસ્વામી સમાજ સમાજ ના આગેવાનો ઉપસ્થિત રહેશે.સમૂહલગ્ન ને સફળ બનાવવા પ્રવિણભારતી ચંદ્રકાન્તભારતી,ડો જયદીપપુરી, અરવિંદવન, પ્રવીણગીરી, રાજેશપુરી,સહિત કાર્યકરો ભારે જહેમત ઉઠાવી તડામાર તૈયારીઓ કરી રહ્યા છે.વધુ માં આ સમુહલગ્નમા દશનામ ગોસ્વામી સમાજને સહપરિવાર પધારવા સમિતિ તરફથી આમંત્રણ પાઠવવામા આવે છે.

Related Articles

Total Website visit

1,595,223

TRENDING NOW